આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધાર્મિક ધ્રુવીકરણ કરતાં જ્ઞાતિ પરિબળ વધુ હાવી થશે. રાજકીય વિશ્લેષકો અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી જ્ઞાતિ પ્રથાના આધારે લડાશે,કે જે છેલ્લાં બે દશકામાં ગુજરાતમાં કયારેય જોવા મળ્યું નથી.
આ પહેલાંની ચૂંટણીઓમાં પણ જ્ઞાતિ પ્રથાનો પ્રભાવ હતો પરંતુ તેની સામે ધર્મના આધારે ધ્રુવીકરણનું પરિબળ વધારે મહત્વનું બન્યું હતું. ભાજપ પર એવો પણ આરોપ મુકવામાં આવ્યો છે કે તેણે સમાજનું ધ્રુવીકરણ કર્યુ છે. જૉ કે હાલમાં એમ લાગે છે કે હિન્દુત્વવાદનો મુ¼ો એટલો અસરકારક રહ્યો નથી અને રાજયમાં ચૂંટણી જ્ઞાતિપ્રથાના આધારે લડવામાં આવશે.
પટેલો છેલ્લાં બે દશકાથી ભાજપની પડખે રહ્યાં હતા,પરંતુ હવે તેમાંની બે પેટા જાતિનું વિભાજન થયું હોય તેમ લાગે છે. લેઉવાએ ભાજપથી અંતર વધાર્યુ છે જયારે કડવા હજૂ પણ ભાજપની પડખે છે. લેઉવા પટેલોએ સરદાર પટેલ ઉત્કર્ષ સમિતિની રચના કરી છે અને તાલુુકા સ્તરે ગુજરાતના મુંખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધમાં જનસભાઓ યોજી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાં રાજયના ૧૦૨ તાલુકાઓમાં આવી જનસભાઓ કરવાના છે,કે જયાં પટેલોની મોટી વસ્તી છે.
મોદીના વિરોધી મનાતા કેશુભાઈ પટેલ અને તાજેતરમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ભાજપના ધારાસભ્ય ગોર્ધન ઝડફિયા,ધીરુ ગજેરા,બેચર ભાદાની,બાવકુ ઉધાડ અને બાલુ તંતી લેઉવા પટેલ છે. મોદી કડવા પટેલને મહત્વ આપી રહ્યાં હોય તેમ કહેવામાં આવી રહ્યું છે.
રાજયના પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલા પણ કડવા પટેલ છે અને તેમણે મોદીની સાથે રહેવાનો નિણર્ય કર્યોછે. આ બાજુ કોળી સમુદાય એ કોંગ્રેસની પહેલેથી મતબેંક રહી છે. રાજયની ૧૫ ટકા વસ્તી કોળી છે. તેમના સમુદાય વિરુઘ્ધના અપરાધને કાબુમાં રાખવામાં ભાજપ સરકાર નિષ્ફળ જતા તેઓ મોદીની વિરુઘ્ધ થયા છે.
જૂનાગઢમાં કોળી સમુદાયની યુવતી પર બળાત્કાર કરાયા બાદ હત્યા કરવામાં આવી હતી અને રાજય પોલીસે હજી દોષિતની ધરપકડ કરી નથી. એક માત્ર કોળી ધારાસભ્ય સોમા પટેલે પક્ષના અસંતુષ્ટો સાથે હાથ મીલાવીને મુખ્યમંત્રી વિરુધ્ધ મોરચો માંડ્યો છે.
આ બાજુ સસ્પેન્ડ કરાયેલા નલીન ભટ્ટ પણ બ્રાહ્મણોને એક કરી રહ્યાં છે. ભાજપના નેતા અને ભુતપૂર્વ સાસંદ દિલીપ સાંધાનીએ જણાવ્યું હતું કે પક્ષના અસંતુષ્ટો રાજયમાં જ્ઞાતિવાદનું રાજકારણ રમી રહ્યાં છે.
You are Here: Home > આગામી ચૂંટણી ધર્મના નામે નહીં પણ જ્ઞાતિના નામે લડાશે
Friday, November 2, 2007
આગામી ચૂંટણી ધર્મના નામે નહીં પણ જ્ઞાતિના નામે લડાશે
Popular Posts
-
17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અ...
-
The 13-year-old boy jumped off clumsily from the adults' bicycle on the village road, interrupting the reporter's conversation with ...
-
ભાજપે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓમાં વિકાસ સિવાય આતંકવાદ પર અંકુશને પણ ગણાવતા આજે શનિવારે કહ્યું હતું કે, તેમનાં શાસનમાં આ...



0 comments:
Post a Comment